Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

શિક્ષણ ક્ષેત્રની શાન જયંતીભાઈ જાનીને જન્મદિન મુબારક

રાજકોટઃ. સિદ્ધાંતોમાં સમતોલ, ભાવથી ભરપુર, પ્રસ્તુતિમાં પારંગત, અનુભવમાં અદકેરા અને સૌમાં સવાયા વ્યકિત એટલે શ્રી જયંતીભાઈ જાની. આજે તેઓ જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે.

સામા કાંઠાની પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થા શ્રી શારદામણી વિદ્યાલયમાં વર્ષો સુધી આચાર્ય તરીકે સેવા આપીને નિવૃત થયેલા જયંતીભાઈ જાનીનો જન્મ ૪ ડીસેમ્બર ૧૯૪૯ના દિવસે થયેલ. આજે ચમકતા-દમકતા જીવનના ૭૦માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. શિક્ષણ ક્ષેત્રે મૂલ્યો આધારિત કાર્યપદ્ધતિ તેમની આગવી ઓળખ છે. માત્ર પદવીલક્ષી નહિ પણ સર્વાંગી વિકાસલક્ષી શિક્ષણ પર તેઓ ભાર મુકે છે. આજના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં રોટલો રળવાની સાથે પ્રત્યેક કોળિયો મીઠો બનાવે તેવો તેમનો પ્રયત્ન છે. જયંતીભાઈ જાની ઝીંદાબાદ...

મો. ૯૪૨૮૪ ૬૨૦૬૩ - રાજકોટ

(11:50 am IST)