Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ઓશો સન્યાસી સ્વામી જીનસ્વરૂપ સરસ્વતીનો જન્મદિનઃ ૭૪માં પ્રવેશ

રાજકોટઃ ઓશોના સંન્યાસી સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે.આહ્યા)નો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૭૩ વર્ષ પુરા કરી ૭૪માં વર્ષમાં પ્રવેશ કરે છે. સ્વામી જીન સ્વરૂપને ઓશોએ પોતે જ સંન્યાસ દિક્ષા આપેલ છે અને ઓશોએ તેમને ''શકિત પાત'' પણ આપેલ છે. તેઓ ૪૭ વર્ષથી સંન્યાસી છે. જયારે ''ઓશો'' પોતે ''આચાર્ય રજનીશ'' તરીકે ઓળખાતા અને એ સમયમાં ઓશોના સંન્યાસીઓ અને ઓશો વિરોધીઓની સંખ્યા ઘણી બધી હતી. સ્વામી જીન સ્વરૂપ સરસ્વતી (આર.જે.આહ્યા)એ જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારી છે. હાલમાં તેઓ ''વેલી ઓફ વાઈલ્ડ ફાલવર, હીલ ગાર્ડન પ્રોજેકટ, રાજકોટ''માં માધાપર ખાતેના ઈશ્વરીયા પાર્કમાં મેનેજર તરીકે પોતાની સેવાઓ આપી રહેલ છે અને સાથે ઓશોના પ્રચાર તથા પ્રસારના કામમાં પણ જોડાયેલા છે. તેઓ ઓશોની ધ્યાન સાધના શિબિરોમાં ભાગ લઈ અનેકવાર ઓશો ધ્યાન સાધના શિબિરોનું સફળ સંચાલન કરેલ છે. સ્વામી જીન સ્વરૂપના જન્મ દિવસે મો.૯૪૨૮૨ ૦૨૨૫૫ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(11:47 am IST)