Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

જમીન સુધારણા કમિશનર રમેશચંદ્ર મીનાનો જન્‍મદિન

રાજકોટ : કમિશનર ઓફ લેન્‍ડ રીફોર્મસ અને મહેસુલ વિભાગના સચિવ શ્રી રમેશચંદ્ર મીનાનો જન્‍મ તા. ૪ માર્ચ ૧૯૬૯ના દિવસે થયેલ તેઓ ત્રેપનમાં વર્ષમાં પ્રવેશ્‍યા છે. મૂળ રાજસ્‍થાનના વતની અને ૧૯૯૭ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે.

શ્રી રમેશચંદ્ર મીના અગાઉ રાજકોટમાં તાલીમમાં હતા ત્‍યારબાદ જામનગરમાં મદદનિશ કલેકટર, વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, નવસારીમાં જિલ્લા કલેકટર, આરોગ્‍ય વિભાગમાં સંયુક્‍ત સચિવ, આદિજાતી વિકાસ વિભાગમાં કમિશનર અને સચિવ, યુવા સાંસ્‍કૃતિક વિભાગમાં સચિવ વગેરે પદ પર રહી ચૂક્‍યા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૫૧૧, મો. ૯૯૭૮૪ ૦૭૫૩૫ ગાંધીનગર

(12:17 pm IST)