Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

વાંકાનેરના યુવા ઉદ્યોગપતી યજ્ઞેશ પટેલનો આજે જન્મદિવસ

વાંકાનેર તા. ૧ : યુવા ઉદ્યોગપતિ, ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીજ અને પાટીદાર સેવા સમાજના પ્રમુખશ્રી, વંકાનેર આઇ.ટી.આઇ.ટીના ડાયરેકટર, વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા ના મેનેજીંગ ટ્રસ્ટી અને જસદણ સિરામીક ગ્રુપ ઓફ કંપનીના મેનેજીંગ ડાયરેકટર પ્રજ્ઞેશભાઇ બેચરભાઇ  પટેલનો તારીખ ૧ના રોજ જન્મદિવસ છે.

તેઓ ૧/૮/૧૯૭૩ની સાલમાં જસદણ ગામ ખાતે તેઓને જન્મ થયેલ. તેમના પિતાશ્રી બેચરભાઇ પટેલે ૧૯૮૧ ની સાલમાં  વાંકાનેર આવી જસદણ સિરામીક વર્કસના નામે ઉદ્યોગ શરૂ કરેલ. પિતાજીના કાર્યમાં પ્રજ્ઞેશભાઇ જોડાઇ  સુઝબુઝથી પિતાશ્રી એ સ્થાપેલ વ્યવસાયને આગળ લઇ જવાના ધ્યેય સાથે તેમના બંને ભાઇઓને  પણ ઉદ્યોગની  લાઇનમાં  લાવી વાંકાનેર  પંથકમાં ચાર જગ્યાએ સિરામીક ઉદ્યોગ સાથેનું જસદણ સિરામીક ગ્રુપ વિશાળ સ્તરે પોહચાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પ્રજ્ઞેશભાઇ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય લેવલના એવોર્ડ પણ મેળવ્યા છે.

તેઓ જી.આઇ.ડી.સી. એસોશીયેશન, લાયન્સ કલબ ઈન્ટરનેશનલ જેવી અનેક સંસ્થાઓના કારોબારી સભ્ય તથા સક્રિય સભ્યપદ ધરાવે છે. તેમના મોબાઇલ ના ૯૮૨૫૨ ૨૨૮૫૫ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે. (૧૭.૫)

(12:31 pm IST)