Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સદા સંવાદવાળા રાજકોટવાળા વજુભાઇ વાળાનો જન્‍મદિન

રાજકોટઃ ન વાદવાળા, ન વિવાદવાળા પણ સદાય સંવાદવાળા રાજકોટવાળા પાણીવાળા મહાનુભાવ શ્રી વજુભાઇ વાળાનો જન્‍મ તા.૧ર જાન્‍યુઆરી ૧૯૩૮ના દિવસે થયેલ. આજે ૮૪ માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ છેલ્લા ૬ વર્ષથી કર્ણાટકના રાજયપાલ તરીકે કાર્યરત છે.

ભાજપના પાયાના પથ્‍થરો પૈકીના એક શ્રી વજુભાઇ વાળા રાજકોટ પમિની ધારાસભા બેઠક પરથી ૭ વખત ચુંટાવાનો અને રાજયના નાણામંત્રી તરીકે ૧૮ થી વધુ વખત બજેટ રજુ કરવાનો વિક્રમ ધરાવે છે. કમળ સંગે તેમનું જાહેર જીવન મહેકતુ રહયું છે. નાગરીક સહકારી બેંકના ચેરમેન પણ હતા. રાજયમાં નાણા, શ્રમ, રોજગાર, મહેસુલ, ઉર્જા, વાહન વ્‍યવહાર વગેરે વિભાગોના કેબીનેટ મંત્રી તેમજ વિધાનસભાના અધ્‍યક્ષ રહી ચુકયા છે. ભાજપનું પ્રદેશ પ્રમુખ પદ સંભાળવા તેમણે બે વખત પ્રધાનપદેથી રાજીનામુ આપ્‍યું હતું. ખ્‍યાતનામ સંસ્‍થાઓ દ્વારા તેમને ગૌરવપુર્ણ એવોર્ડ એનાયત થયેલા છે. સામાન્‍ય માણસ સાથે પણ દુધમાં સાકર ભળે તેમ ભળી શકે છે. રાજયોગની બાબતમાં શ્રી વાળા નસીબવાળા ગણાય છે. હાજર જવાબીપણું અને રમુજવૃતી તેમની વિશેષ ઓળખ છે.

મો.૯૮ર૪૦ ૪૩૬૩ર અને ૯૮ર૪૧ ૧૬૪૧૪ બેંગ્‍લોર (કર્ણાટક)

(11:46 am IST)