Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જૂનાગઢ રાજગોર યુવક મંડળના પ્રમુખ કમલેશભાઈ ભરાડનો જન્મ દિવસ

જૂનાગઢ, તા. ૩ :. રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના પ્રમુખ કમલેશભાઈ બી. ભરાડનો આજે ૪૧મો જન્મ દિવસ છે.

આજથી ૧૧ વર્ષ પહેલા રાજગોર બ્રાહ્મણ યુવક મંડળની સ્થાપના કરી સમાજના યુવાનો-વડીલો-પરિવારોને એક તાંતણે બાંધી સમાજ સંગઠીત બને તે માટે યુવક મંડળ દ્વારા રક્ષાબંધન નિમિતે સમૂહ ભોજન તેમજ સમૂહલગ્ન, તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજી સમાજના ઉત્કર્ષ માટે ગિરનાર દરવાજા નજીક ૧ હજાર જ્ઞાતિની વાડી સમાજ માટે પ્લોટ ખરીદી અને ટૂંક સમયમાં જ ત્યાં જ્ઞાતિજનોના આર્થિક સહયોગથી જય અંબે વિકાસ કેન્દ્ર રાજગોર સમાજની વાડી બનાવવા માટેનું બિડુ ઝડપનાર કમલેશભાઈ ભરાડને જન્મ દિન નિમિતે તેમના શુભેચ્છકો મો. ૮૧૬૦૮ ૪૧૮૭૦ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:30 am IST)