Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

રાજકોટના નોટરી એડવોકેટ નિતિન જાગાણીનો જન્મ દિવસ

રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા નિમણુંક થયેલ નોટરી નિતિન એમ.જાગાણીનો આજે ૧૭ જુલાઇના રોજ ૪૮મો જન્મ દિવસ છે તેઓએ તેમની વકીલાત સને ર૦૦૦ થી શરૂ કરેલ અને ઉત્તરોત પ્રગતિના પગથીયા સર કરતા રહેલ છે તેઓ રાજકોટ બાર એસોસીએશનમાં પ (પાંચ) વખત કારોબારી સભ્ય અને જુનીયર એસોસીએશનના પ્રમુખ તરીકે બે વખત સેવા આપેલ છે.

રાજકોટમાં છેલ્લા ૧૦ વર્ષથી નોટરી તરીકે સેવા આપે છે તેઓ પ્રમાણીક અને ખંતીલા છે. તેઓએ તેમની વકીલાતના ક્ષેત્રે ખુબ પ્રગતિ કરેલ છે આજરોજ તેમના જન્મદિવસ નિમિતે તેમના જુનીયરો દિવ્યા ગૌસ્વામી, અમિત પાટડીયા, વિમલ વઘાસીયા, સાગર રાણપરા, અબુલ મારફાણી, દિક્ષિત નસીત તરફથી તેમના મો. નં.૯૪ર૬ર ર૬૯ર૮ ઉપર શુભેચ્છાઓનો ધોધ વહાવેલ છે.

(11:35 am IST)