Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

જૂનાગઢના સેવાભાવી અગ્રણી મનસુખભાઈ વાજાનો જન્મદિન

જૂનાગઢ, તા. ૧૯ :. જૂનાગઢની અનેક સેવાકીય પ્રવૃતિથી જાણીતી એવી સત્યમ્ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ એમ. વાજાનો આજે જન્મ દિવસ છે. છેલ્લા ૩૪ વર્ષથી જૂનાગઢમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં ૧૮૦૦થી વધુ દિકરીઓને કન્યાદાન આપી સાસરે વળાવેલ છે. તેમજ સર્વજ્ઞાતિય વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને સીવીલ હોસ્પીટલમાં દરરોજ દર્દીઓના સગાઓને ભોજન આપતી સત્યમ્ સેવા યુવક મંડળની ટીમના પ્રમુખ મનસુખભાઈ વાજા, વૃદ્ધ નિકેતન, અંધ કન્યા છાત્રાલયમાં સેવા આપી રહ્યા છે અને વિવિધ સેવાકીય સંસ્થાઓમાં તેઓનું યોગદાન રહ્યુ છે. એવા મનસુખભાઈ વાજાનો તા. ૧૯-૨-૬૧ના રોજ જન્મ થયેલ. આજે તેઓ ૫૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે તેઓને મો. ૯૯૨૫૧ ૪૨૦૮૮ ઉપર શુભેચ્છકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.(૨-૩)

(11:27 am IST)