Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

કાલે 'વિજ્ય' પંથના પ્રવાસી નીતિનભાઈ ભારદ્વાજનો જન્મદિન

રાજકોટઃ શહેર ભાજપના  પૂર્વ પ્રમુખ અને સુરેન્દ્રનગરના વર્તમાન પાર્ટી પ્રભારી નીતિન ભારદ્વાજનો જન્મ તા. ૨૧ ઓકટોબર ૧૯૬૩ના દિવસે થયેલ આવતીકાલે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કરશે. નીતિન ભારદ્વાજ ભાજ્પના સિનિયર છે. કોર્પોરેટર છે ભૂતકાળમાં બે વખત સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદે રહી ચુકયા છે. જુદા-જુદા જિલ્લાઓમાં પ્રભારી તરીકે તેમજ પ્રસંગોપાત ચૂંટણી નિરીક્ષક તરીકે કુનેહપૂર્વક કામગીરી કરી ચુકયા છે. સંગઠન અને વહીવટ બન્ને  ક્ષેત્રના અનુભવી છે. સ્થાનિક રાજકારણની પીચ પર વર્ષોથી અણનમ રહયા છે. આવતીકાલનાં જન્મદિન નિમિતે આજથી જ શુભેચ્છા વર્ષા શરૂ થઈ ચુકી છે. મો.(૯૮૨૪૦ ૪૩૦૪૩) રાજકોટ.

(3:52 pm IST)