Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રતાપભાઇ વરૂનો જન્મદિવસ

અમરેલી તા. ૧૬ : રાજુલા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય તિર્થધામ તુલસીશ્યામના ટ્રસ્ટી - દરબાર પ્રતાપભાઇ વરૂનો કાલે તા. ૧૭મીએ જન્મદિવસ છે.  પિતા સ્વ. સુરગભાઇ વરૂ (પૂર્વ ધારાસભ્ય) તરફથી પ્રતાપભાઇને રાજકીય વારસો ઉપરાંત કાઠી કુળના ઉત્તમ સંસ્કાર અને ખાનદાની, ખુમારી અને સેવાના મૂલ્યો વારસામાં મળ્યા છે. કાઠી ક્ષત્રિય સમાજે ગુજરાતના પ્રમુખની જવાબદારી સોંપી છે. પ્રતાપભાઇનું સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે પણ યોગદાન રહ્યું છે. રચનાત્મક કાર્યોમાં આગળ રહેતા પ્રતાપભાઇ અને લોકોના વેરઝેર મિટાવી સુખદ સમાધાનમાં નિમિત બન્યા છે. તુલસીશ્યામમાં પૂ. શ્યામબાપાના દર્શન અને પૂજા કરી 'શ્યામ પરિવાર' સાથે પોતાનો જન્મદિવસ સાદાઇથી ઉજવશે. તેમનો મો.નં. ૯૮૭૯૧ ૪૪૩૩૩ છે.

(11:42 am IST)