Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

૧૫ ઓગષ્‍ટઃસોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાનો ૪૭મો જન્‍મદિન

સોમનાથ, પ્રભાસપાટણઃ  વિશ્વ પ્રસિધ્‍ધ અને ભારતના બાર જયોતિલીંગ માહેના પ્રથમ એવા દેવાધીદેવ ભગવાન સોમનાથ મહાદેવ મંદીર ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા  ૧૫મી ઓગષ્‍ટે ૪૬ વર્ષ પુર્ણ કરી ૪૭માં વર્ષમાં પ્રવેશલ છે.  મહેસાણા જીલ્લાના પ્રદોસણા ગામે ૧૫/૮/૭૨ના રોજ જન્‍મેલા  શ્રી ચાવડા બી.એ. વીથ ઇંગ્‍લીશ છે. તેજસ્‍વી કારર્કીદી સાથે અભ્‍યાસ પુર્ણ કરી સોમનાથ મંદીર ખાતે છેલ્લા ૨૭ વર્ષથી યશસ્‍વી કામગીરી બજાવી રહયા છે. સોમનાથ મંદીરનાં વિકાસમાં તેઓની સુઝ-સમજનો મોટો ફાળો છે.  સદાય આવકાર આપતુ મૃદુસ્‍મિત યાત્રિકો પ્રવાસીઓને પ્રભાવિત કરી તેમની યાત્રા યાદગાર બનાવે છે તેમના જન્‍મદિવસે ઠેર-ઠેર થી અભિનંદનની વર્ષાઓ થઇ રહેલ છે. (મો.૯૪૨૮૨ ૧૪૯૦૯)

 

(1:19 pm IST)