Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સૂરમંદિરના સ્થાપક પ્રમુખ અને ગાયક ઘનશ્યામ રાવલનો ૬૪મો જન્મદિવસ

રાજકોટ : જાણીતી કલાસંસ્થા સૂરમંદિર જે છેલ્લા અઢાર વર્ષથી જૂના ફિલ્મી ગીતોના કાર્યક્રમો આપી રહી છે. જેનું સફળ સંચાલન કરનાર અને જાણીતા ગાયક (વોઈસ ઓફ મુકેશ) ઘનશ્યામ રાવલનો આજે જન્મદિવસ હોવાથી રાજકોટના સંગીતરસીક શ્રોતાઓ, કલાકારો તથા સૂરમંદિરની બહોળી સંખ્યામાં મેમ્બરો શુભેચ્છા પાઠવે છે. રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે ૨૫ થી વધારે આંતરરાષ્ટ્રીય કલાકારોને પ્રથમ વખત રજૂ કરવાનો શ્રેય સૂરમંદિરને ફાળે જાય છે. ઘનશ્યામ રાવલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નિવૃત કર્મચારી છે. સંગીત ક્ષેત્રમાં તેમજ બહોળો ચાહકવર્ગ ધરાવતા ઘનશ્યામ રાવલને અંતરની શુભેચ્છાઓ મળી રહી છે. (મો.૯૮૯૮૦ ૪૪૫૧૧)

(3:28 pm IST)