Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

વાંકાનેર જૈન સમાજના સમાજ સેવક મહેન્દ્રભાઇ પી સોલાણીનો કાલે જન્મદિવસ

વાંકાનેર તા. ૧૪ : સ્થાનકવાસી જૈન સમાજના વેપારી અને સમાજ સેવક એવા મહેન્દ્રભાઇ પીતાંબરભાઇ સોલાણી નો તા. ૧૫-૮-૧૮ને બુધવારે જન્મ દિવસ છે. અને તેઓ પોતાના ધર્મભકિત ભર્યા જીવનના ૭૧ વર્ષ પુરા કરી ૭૧માં વર્ષ પ્રવેશ કરી રહ્યા છે.

મહેન્દ્રભાઇના  ઘી ના વ્યવસાય સાથે તેઓ સેવા - ધર્મ  ના કાર્યોમાં હંમેશા તત્પર રહે છે.  તેઓ લીંબડી ગોપાલ સંપ્રદાય સ્થા. જૈન સંઘ ના કાયમી ટ્રસ્ટી છે. તેમજ વાંકાનેર વિશાશ્રીમાળી જૈન સંઘમાં અગાઉ પ્રમુખપદે રહી સમાજની સેવા કરી છે.

લીંબડી અજરામર સંપ્રદાય, ગોપાલ સંપ્રદાય ગોંડલ,  સંઘાણી   આવા જુદા જુદા સંપ્રદાયના સંતો સતીજીઓની સેવા કરતા આવ્યા છે.  અને  જીવભર સેવાનો લાભ મળતો રહે તેવી તેમણે આશા વ્યકત કરી છે. મહેન્દ્રભાઇ સોલાણીના જન્મદિને તેમના સગા- સ્નેહીઓ, પરિવારજનો, જ્ઞાતિના શ્રેષ્ઠીઓ પત્રકાર મિત્રો દ્વારા  તેમને મો. ૯૮૨૪૪ ૯૦૦૩૩ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:57 am IST)