Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

દાઉદી વ્હોરા સમાજના ૫૧ માં ધર્મગુરૂનો આજે જન્મદિવસ

જસદણ તા ૮ : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ૫૧ માં  દિવંગત દાઇ (સવોૈચ્ચ ધર્મગુરૂ) ડો. સૈયદના તાહેર સૈફૂદીન (રિ.સ.) નો આજ જન્મ દિવસ છે.

ગત રાત્રિના એમની સ્મૃતિમાં ગામેગામ મજલીશો, પ્રસાદ યોજી ગર્વભેર યાદ કર્યા હતા ૧૮૮૮ માં જન્મેલા સને ૧૯૬૫માં દેહવિલય પામનારા સૈયદના સાહેબે જીવનના૪૫ વર્ષ દરમિયાન જે કાર્ય કર્યુ જેનાથી સમગ્ર માનવજાત સુખી થઇ હોવાનું જણાવે છે એમણે તે સમયમાં ધર્મ અને શિક્ષણનો સમનવય બનાવી સમાજને ઉંચો લઇ આવ્યાં હતા. એમના ૧૩૦ માં જન્મ દિવસે વ્હોરા બિરાદરો ભાવવિભોર બની અંજલી અર્પણે કરી હતી. (૩.૫)

(12:18 pm IST)