Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

મોરબીના એડવોકેટ હરદેવસિંહ જાડેજાનો આજે જન્મદિન

મોરબી, તા. ૬ :. એડવોકેટ હરદેવસિંહ જાડેજાનો આજે ૫૨મો જન્મદિન છે. મૂળ ચાંદલી તાલુકો લોધીકાના વતની તા. ૬-૮-૧૯૬૭ના રોજ જન્મેલા મોરબીને કર્મભૂમિ બનાવી જાન્યુઆરી ૧૯૯૧થી એલ.આઈ.સી.ના એજન્ટ તરીકે કામગીરી કરી કરોડપતિ એજન્ટ તરીકેની નામના પામી છે.

તેઓએ ૧૯૯૨ થી ૨૦૦૩ સુધી ગુજરાત હાઉસીંગ બોર્ડ મોરબી-૨ ના પ્રમુખ તરીકે ફરજ બજાવેલ તેમજ ૧૯૯૩ થી ૧૯૯૮ સુધી એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ મોરબી શહેરની ફરજ બજાવેલ તેમજ ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર ૩ ના કાઉન્સીલર તરીકે સેવા બજાવેલ અને સને ૧૯૯૬થી ૧૯૯૭ સુધી મોરબી નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે સેવા કરેલ. ત્યાર બાદ ૨૦૦૦થી એડવોકેટ તરીકે કામગીરી શરૃ કરેલ. સ્નેહી મિત્રો, સાથી મિત્રો તરફથી મોબાઈલ નં. ૯૮૨૫૧ ૯૫૯૬૧ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:14 pm IST)