Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

રાજકોટ બાર એસોસીએશનના યુવા કારોબારી સભ્ય એડવોકેટ સંદિપ એમ.વેકરીયાનો જન્મદિવસ

રાજકોટઃ સંદિપ એમ.વેકરીયાનો જન્મ ૪ ઓગસ્ટ ૧૯૮૫ના રોજ થયેલ તેઓએ બી.કોમ, એલએલ.બી., પી.જી.ડી.બી.એલ.નો અભ્યાસ કરેલ છે. તેઓ રેવન્યુ તથા સીવીલ ક્ષેત્રની પ્રેકટીસમાં અનુભવી અને કુશળ એડવોકેટ તરીકે જાણીતા છે. તેઓ રાજકોટ બાર એસીસીએશનમાં સને-ર૦૧૪ તથા ૨૦૧૫ માં સતત બે વર્ષ અને હાલ ચાલુ વર્ષે ર૦૧૮ માં પણ કારોબારી સભ્ય તરીકે સેવા આપી સીનીયર તથા જુનીયર એડવોકેટસનો સાથ સહકાર મેળવી વકીલો માટે અનેક કામગીરીઓ કરેલ છે. તેમજ  રાજકોટ ડીસ્ટ્રીકટ એડવોકેટ સંદિપ એમ. વેકરીયા લીગલ સર્વીસ ઓથોરીટી દ્વારા રાજકોટ ડીસ્ટ્રીકટ જેલ સેલમાં મેમ્બર તરીકે રહી ચુકેલ છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા થતી સેવાકિય પ્રવૃતિમાં પણ ભાગ લેતા રહે છે. તેમજ શ્રી ખોડલધામ એડવોકેટ ગૃપની કમીટીમાં લીગલ (સેમીનાર અને નોલેજ શેરીંગ સેન્ટર જેવી પ્રવૃતિમાં પણ પોતાની સેવા આપે છે. યુવા લોયર્સ એસોસીએશન તથા લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન, વોઈસ ઓફ લોયર્સ આવી અનેક બાર એસોસીએશન જેવી સંસ્થા તથા સામાજીક પ્રવૃતીઓ સાથે સંકળાયેલ છે. વકીલાતના વ્યવસાયથી લેઉઆ પટેલ જ્ઞાતીનું તેમજ તેમના કુટુંબની નામના વધારેલ છે આજે તેમના જન્મદિન નિમિતે તેમના અનેક શુભેચ્છકો,અસીલો, એડવોકેટ મિત્રો અને સ્નેહીઓ અને પ્રશાંત પબ્લીસીટી તરફથી મો. ૯૯૨૫૧૮૮૬૮૩ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.(૩૭.૮)

(3:54 pm IST)