Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાનો બાવનમો જન્મદિન

રાજકદ તા. ૧૪ : જાગૃત વિપક્ષીનેતા અને કોંગ્રેસના અગ્રણી વશરામભાઇ આલાભાઇ સાગઠિયાનો આજે જન્મદિન છે. ૧૪-પ-૧૮૬પ ના રોજ બોટાદ તાલુકાના પાળિયાદ ગામે જન્મેલા વશરામભાઇ સાગઠિયા ૧૯૮૦ ના દાયકાથી રાજકારણમાં  સક્રિય છે. ૧૯૮૯માં બોટાદ તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ પદે ફરજ બજાવી ત્યારબાદ ૧૯૯રમાં રાજકોટ શહેર કોંગ્રેસમાં કાર્યકર તરીકે સેવા આપી ૧૯૯૪ રાજકોટ યુવક કોંગ્રેસના મહામંત્રીપદે સેવા આપી ત્યાર બાદ ૧૯૯૮થી વર્ષ માટે રાજકોટ શહેર કોંગ્રગ્રેસના મહામંત્રી પદે ફરજ બજાવી અને ર૦૦૧ થી પ વર્ષ માટે રાજકોટ કોંગ્રેસના ઉપપ્રમુખ પદે સેવા આપી ત્થા ર૦૦ર થી ર૦૧૪ સુધી કોંગ્રેસ અનુજાતી ડિપાર્ટમેન્ટના ચેરમેન રહ્યા હતા. તથા ર૦૦૯ થી ભારત સરકારના હેન્ડલુમ બોર્ડના ડાયરેકટરપદે સેવા આપી અને ર૦૧૦ થી કોંગ્રેસના કોર્પોરેટરપદે રહી લોકસેવા કરી રહ્યા છે અને  ૧-૧-ર૦૧૦ થી ૩-૧ર-ર૦૧૦ સુધી વિપક્ષીનેતા પદે રહ્યા બાદ ફરીથી વશરામભાઇ સાગઠિયા ૧-૧-ર૦૧૬ થી આજદિન સુધી મ્યુ.કોર્પોરેશનના જાગૃત વિપક્ષી નેતાની ફરજ નિભાવી રહ્યા છે.

આ ઉપરાંત શ્રી સાગઠિયા ડો. બાબાસાહેબ આંબેડકર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ પદે રહી ચુકયા છ.ે ત્થા શ્રી અલમીન માનવ સેવા ચેરીટેબલ એન્ડ એજયુકેશનના સ્થાપક છે અને મુકનાયક સમતા સંગઠનના ટ્રસ્ટી-અમદાવાદ દલિત જન કલ્યાણ સંઘ-ટ્રસ્ટી ગંજીવાડા માનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-વગેરે સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે આજે 'પર'માં જન્મદિને મિત્રો, શુભેચ્છકો દ્વારા વશરામભાઇ (મો.૯૮રપ૧ ૬પ૧૯૧) જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

(4:24 pm IST)