Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

લોહાણા જ્ઞાતીના મુકસેવક મનુભાઈ મિરાણીના જન્‍મદિવસની ઉજવણી

રાજકોટ,તા.૫: પુનિત સદ્‌ગુરુ ભજન મંડળ દ્વારા તાજેતરમાં લોહાણા જ્ઞાતીના યુવક- યુવતીઓના વેવીશાળની પ્રવૃતિ કોઈપણ જાતના સન્‍માનની અપેક્ષા વગર પોતાના તન- મન- ધનના યોગદાનથી કરી રહેલ મનુભાઈ મિરાણીના ૭૬માં જન્‍મદિવસની ઉજવણી તેમના નિવાસસ્‍થાળ ‘‘વૃંદાવન'' નાલંદા સોસાયટી- કાલાવડ રોડ ખાતે કરાઈ હતી. હાજર રહેલ ભાવિકો સર્વ જયેશભાઈ નથવાણી, બિહરીભાઈ, મનસુખભાઈ વરીયા, માવજીભાઈ મોજી, મુકુંદભાઈ કોટેચા, ધનવંતભાઈ નથવાણી, વિજયભાઈ રાચ્‍છ, દેવાંગભાઈ જાની, અમૃતલાલ મકવાણા, સુંદરલાલ પાઉં, બાબુભાઈ પેંડાવાળા દંપતી, વિજયભાઈ ફુલવાળા, દિનેશભાઈ ચાવડા, કાંતીભાઈ ચુડાસમા, ગુણવંતભાઈ ઠકકર, હસુભાઈ ઝાલા, અરવિંદભાઈ ખાલપાડા, ભરતભાઈ ગોંડલીયા, કિશોરભાઈ પાટડીયાએ હાજર રહી મનુભાઈના દિર્ધાપુષ્‍ય માટે શુભેચ્‍છા આપેલ. કાર્યક્રમનું સંચાલન આભારવિધી પ્રમુખસ્‍થાનેથી જયેશભાઈ નથવાણીએ કરેલ.

(5:38 pm IST)