Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

સરધારથી મળ્યો જનાધારઃ પૂર્વ પ્રમુખ નિલેષ વિરાણીનો જન્મદિન

રાજકોટઃ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પંચાયતના રાજકારણમાં રાજકીય નવાજુનીના સર્જક સૂત્રધાર શ્રી નિલેષ ટી.વિરાણીનો જન્મ ૧૯૭૪ના વર્ષની તા.૧ નવેમ્બરે થયેલ. આજે ૪૬માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ મૂળ સરધારના વતની અને તે જ પંથકમાંથી જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભકત અને સરધારની સુપ્રસિધ્ધ દૂધસાગર (ધર્મજ) ડેરીના સંચાલક છે. આ ખેડૂત પૂત્રએ પ્રારબ્ધથી મળેલા રાજકીય ક્ષેત્રમાં પુરૂષાર્થથી કરેલુ વાવેતર સફળતારૂપે ઉગી નીકળ્યુ છે. હાલ તેઓ 'કેસરિયા' રંગે રંગાયેલા છે. જોગાનુંજોગ આ વર્ષે આજે લાભ પાંચમના દિવસે તેમનો જન્મદિન આવ્યો છે. શુભેચ્છકો તેમના પર નૂતન વર્ષ અને જન્મદિનની બેવડી શુભેચ્છા વરસાવી રહ્યા છે.

મો.૯૪૨૬૯ ૨૭૮૩૦, ૭૯૯૦૫ ૮૮૨૩૩ - રાજકોટ

(11:27 am IST)