Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ગોંડલના પૂર્વ પ્રાંત અધિકારી, રાજકોટના પૂર્વ ડે. કલેકટર

એચ.એમ. જાડેજા ઝીંદાબાદ...અધિક કલેકટરનો જન્મદિન

રાજકોટઃ. ગાંધીનગરમાં નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી હનુમંતસિંહ એમ. જાડેજાનો જન્મ ૧૯૬૭ના વર્ષની તા. ૧ નવેમ્બરે થયેલ. આજે તેમણે ચમકતા-દમકતા જીવનના ત્રેપનમાં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.

મૂળ જામનગર પંથકના વતની શ્રી એચ.એમ. વિજ્ઞાન સ્નાતક છે. અગાઉ મોરબીમાં મામલતદાર, રાજકોટમાં સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેકટર, તત્કાલીન કેબીનેટ પ્રધાન શ્રી આઈ.કે. જાડેજાના અંગત સચિવ, ગોંડલમાં પ્રાંત અધિકારી વગેરે સ્થાનો પર યશસ્વી ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૯૦૩૦,

મો. ૯૯૨૫૨ ૪૮૨૦૨ - ગાંધીનગર

(11:24 am IST)