Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

સરકારી વકીલ અનિલભાઇ ગોગીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટ, તા.૨૭: સૌરાષ્‍ટ્ર કચ્‍છના લેબર લોઝના નિષ્‍ણાત અને સીનીયર એડવોકેટ-નોટરી તેમજ સરકારી વકીલ અનિલ સંતોષકુમાર ગોગીયા આજરોજ તા. ૨૭-૬-૨૦૨૨ના રોજ જન્‍મદિવસ છે તેઓ છેલ્લા ૨૩ વર્ષથી વકીલાત ક્ષેત્રમા કાર્યરત છે તેમજ મજુર તથા દિવાની કાયદાઓમાં નિપુણતા ધરાવે છે. વિવિધ મલ્‍ટીનેશનલ કંપનીઓ તેમજ સરકારી,અર્ધસરકારી સંસ્‍થાઓમાં કાનુની સલાહકાર તેમજ પેનલ એડવોકેટ તરીકે કાર્યરત છે. તેઓ ‘ઈન્‍ડસ્‍ટ્રીયલ એન્‍ડ કોમર્શીયલ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટ એશોસીએશન' રાજકોટના સેક્રેટરી તરીકે સેવા આપી રહેલ છે.

છેલ્લા આશરે પ વષંથી ગુજરાત સરકારશ્રી દ્રારા તેઓની આસીસ્‍ટન્‍ટ ગર્વમેન્‍ટ પ્‍લીડર તેમજ એડીશનલ પબ્‍લીક પ્રોસીકયુટર તરીકે ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ કોર્ટમા નીમણુક કરવામા આવેલ છે. તેઓ સરકારપક્ષે રજુઆત કરી અનેક જામીન અરજીઓ રદ કરાવેલ છે. તેમજ મદદનીશ સરકારી વકીલ તરીકે મજુર તેમજ ઔદ્યોગીક અદાલતો રાજકોટમા આશરે ચારસો ઉપરાંતના કેશોનો નો સરકાર પક્ષે નિર્ણય કરાવી નિકાલ કરેલ છે.

સ્‍વભાવે મીલનસાર તેમના સંબંધોનુ વતુંળ વ્‍યાપક છે તેમજ તેમના હકારાત્‍મક અભિગમ માટે જાણીતા છે. તેમજ ખુબ જ મોટો મીત્રવર્ગ ધરાવે છે. તેમનો મો.નં. ૯૮૨૫૭ ૭૬૬૭૦૭ છે.

(4:40 pm IST)