Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

અંકલેશ્વરના ધારાસભ્‍ય પૂર્વ મંત્રી ઇશ્વરસિંહ પટેલનો જન્‍મદિન

રાજકોટ : રાજ્‍ય કક્ષાના ભૂતપૂર્વ સહકાર, રમત ગમત અને યુવા સેવા સાંસ્‍કૃતિક વિભાગના પ્રધાન શ્રી ઇશ્વરસિંહ ઠાકોરસિંહ પટેલનો જન્‍મ ૧૯૬૫ ના વર્ષની ૨૫ જૂને થયેલ. આજે ૫૮માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. તેઓ મૂળ ભરૂચ જિલ્લાના હાસોટ તાબેના કુડાદરા ગામના વતની છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનના વિવિધ સ્‍થાનો પર કામગીરી કરી છે. તેઓ અંકલેશ્વર મતક્ષેત્રમાંથી ભાજપના ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા છે. વૃક્ષારોપણ, વાંચન વગેરે તેમના શોખના વિષયો છે. 

મો. ૯૮૨૫૧ ૨૮૨૬૧ અને ૯૯૭૮૪ ૦૮૫૯૨ ગાંધીનગર

(3:32 pm IST)