Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સ્‍વામી જીનસ્‍વરૂપ સરસ્‍વતીનો આજે જન્‍મદિવસઃ ૭૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ ઓશો સંન્‍યાસી સ્‍વામી જીનસ્‍વરૂપ સરસ્‍વતી(આર.જે.આહયા) આજે જીવનના ૭૭ વર્ષે પુરા કરી ૭૮માં વર્ષમાં પ્રવેશ કરે છે.

સ્‍વામી જીનસ્‍વરૂપ સરસ્‍વતીને ઓશોએ પોતે જ સંન્‍યાસ અને તેમને શકિત પાત પણ આપેલ તેઓ ૫૧ વર્ષથી સંન્‍યાસી છે. જયારે ઓશો પોતે આચાર્ય રજનીશ તરીકે ઓળખાતા અને એ સમયમાં ઓશોના વિરોધીઓની સંખ્‍યા ઘણી બધી હતી.

સ્‍વામી જીનસ્‍વરૂપ સરસ્‍વતી જીલ્‍લા પંચાયત-રાજકોટના નિવૃત કર્મચારી છે. તેઓ વેલી ઓફ વાઇલ્‍ડ ફલાવર, હીલ ગાર્ડન પ્રોજેકટ, રાજકોટમા માધાપર ખાતેના ઇશ્વરીયા પાર્કમાં મેનેજર તરીકે પોતાની સેવાઓ ૧૦ વર્ષ જેટલા સમય માટે આપી અને હાઇ નિવૃત જીવન ગાળે છે, અને સાથે ઓશોના પ્રચાર તથા પ્રસારના કામમાં પણ જોડાયેલ છે. ઓશો ધ્‍યાન સાધના શિબિરોનું સંચાલન કરેલ છે. મો.૯૪૨૮૨ ૦૨૨૫૫ (૦૨૮૧-૨૫૭૪૮૫૬)

(4:38 pm IST)