Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

આયુર્વેદના વૈદ્ય ડો.જયેશ પરમારનો આજે જન્મદિવસ : ૫૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : વિભાગીય નાયબ નિયામક (આયુષ) રાજકોટના ડો. જયેશ એમ. પરમારનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરી ૫૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ છેલ્લા ઘણા વર્ષ સુધી પંચકર્મ નિષ્ણાંત તરીકે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે ફરજ બજાવી હાલ સૌરાષ્ટ્ર વિભાગના વિભાગીય નાયબ નિયામક આયુષ તરીકે કામગીરી કરી રહ્યા છે.

મુળભૂત આયુર્વેદના વૈદ્ય તરીકે રાજયભરમાં ચાહના મેળવેલ છે અને દર્દીનારાયણની સેવાને જ ઉત્તમ ગણતા તેઓએ સેંકડો દર્દીના જયારે બચવાની આશા ન હોય ત્યારે તેને દોડતા કર્યા છે.

કોરોના જેવી મહામારીનો ગુજરાતમાં પ્રવેશ થયો તે પહેલાથી જ લોકોને રોગપ્રતિકારક શકિત કેમ વધારી શકાય તે અંગે સતત માહિતગાર કર્યા હતા અને હોસ્પિટલના માધ્યમથી સેંકડો લોકોને ઉકાળો વિતરણ પણ કરેલ.  ડો.જયેશ પરમારને મો.૯૯૭૮૯ ૮૫૯૮૫ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(4:10 pm IST)