Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મનોહરસિંહ જાડેજાના જન્મદિને અભિનંદન

રાજકોટ : શહેરના મુસ્લિમ સમાજના અગ્રણીઓ હબીબભાઇ કટારીયા તથા ફારૂક બાવાણીની યાદી મુજબ રાજકોટ શહેરમાં ચાર્જ સંભાળતાની સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સાથોસાથ કોઇપણ ચમરબંધીની શેહશરમ વગર કડકડતી ઠંડીમાં ગુનાહિત આલમને પરસેવો છોડાવનાર રાજકોટના જાંબાઝ સીંઘમ ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજાને તેઓના ૪૬માં જન્મ દિન નિમિતે મુબારક બાદ આપી જણાવ્યું હતું કે ગત ફેબ્રુઆરીમાં અમેરિકાના પ્રમુખશ્રી ડોનાલ્ડ ટમ્પના બંદોબસ્તમાં પ્રશંસનીય કામગીરી બદલ તેઓને એસપીજી એવોર્ડ થી સન્માનીત કરાયા હતા. ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની કેવડીયા ખાતેની મુલાકાતમાં ખાસ ફરજ સોંપાઇ હતી. ગઇકાલે તેમના જન્મદિનની શુભેચ્છા પાઠવાઇ હતી.

(2:45 pm IST)