Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

સુરેન્દ્રનગર જનકલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટના સુમિતભાઇ ઉમરાણીયાનો જન્મદિન

વઢવાણ,તા. ૨૬: સુરેન્દ્રનગર શહેરમાં સામાજિક કાર્યમાં સદા અગ્રેસર રહેતા જનકલ્યાણ ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ સુમિતકુમાર ડી.ઉમરાણીયાનો કાલે જન્મદિવસ  હતો. ૩૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

તેમના જન્મદિવસ નિમિતે તેમના મિત્રો, સંસ્થાના સભ્યો, સુરેન્દ્રનગરના સાામજિક કાર્યો સાથે જોડાયેલા નાગરિકો તેમજ સુરેન્દ્રનગર શહેર અનેક સંસ્થાના આગેવાનો તેમજ શહેરના શહેરીજનો સુમિતભાઇ ઉમરાળી અને વ્યકિતગત રીતે ઓળખી રહ્યા છે અને સુમિતભાઇ ઉમરાણીયા પોતે એક સારૂ વ્યકિતત્વ ધરાવે છે. કોરોના વાયરસમાં અનેક ડેડબોડીને પોતે અગ્નિસંસ્કાર કરવાનું પણ કાર્ય કરવામાં આવ્યું છે ત્યારે આજે સુમિતભાઇના જન્મદિવસને અધિકારી વર્ગ પણ અને અનેક આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી છે. તેમનો મો. નં. ૮૮૯૯૧ ૫૧૯૫૦.

(10:11 am IST)