Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જામજોધપુર બાર એસો.ના પ્રમુખ જયેન્દ્રભાઇ મકવાણાનો જન્મદિન

જામજોધપુર : બાર એસોસીએશનના પ્રમુખ એડવોકેટ જયેન્દ્રભાઇ એન. મકવાણાનો જન્મ કોટડા બાવીસી ગામે થયેલ છે. આજે જીવનના ૪રમા વર્ષમાં તેઓ પ્રવેશી રહ્યા છે. જયેન્દ્રભાઇ સતત ૧૦ ટર્મથી જામજોધપુર બાર એસો.ના પ્રમુખપદે છે. તેમજ જામજોધપુર તાલુકા પંચાયતના ચેરમેન પણ રહી ચુકયા છે.

જામજોધપુર તાલુકામાં અનેક સામાજીક ધાર્મિક સંસ્થાઓમાં પોતાની સેવા આપે છે. જન્મ દિવસની શુભકામના તેમના મો. ૯૯૭૯૦ ૮૩૩૦૦ ઉપર મળી રહી છે.

(11:28 am IST)