Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

કચ્‍છ - સૌરાષ્‍ટ્ર આમ મુસ્‍લિમ સમાજના સુલેમાન સંઘારનો જન્‍મદિન

રાજકોટ : કચ્‍છ - સૌરાષ્‍ટ્ર આમ મુસ્‍લિમ સેવા સમાજ - રાજકોટના મહામંત્રી શ્રી સુલેમાન સંઘારનો ગત ૧૫મીના ૮૫મો જન્‍મદિન હતો. તેઓનો જન્‍મ તા.૧૫-૧૧-૧૯૩૪ના રોજ અમરેલી જીલ્લાના ધારી ગામે થયેલ. તેઓના પિતાશ્રી જુમ્‍માભાઈ ભારત સરકારની મિલેટ્રીમાં સેવા આપતા હતા. ૧૯૫૭માં રાજકોટ આકાશવાણીની સ્‍થાપના થતાં તેમાં સેકન્‍ડ ગ્રેડ ઓફીસર તરીકે નોકરી કરી ૧૯૬૮માં નિવૃત થયેલ. નિવૃતિ બાદ સામાજીક કાર્યો કરી રહ્યા છે. હિન્‍દુ - મુસ્‍લિમ પાસાની સજા પામેલાઓને નિઃસ્‍વાર્થ ભાવે કોઈપણ ખર્ચ વગર ગુજરાત સરકારના પાસા બોર્ડમાંથી છોડાવેલ છે. જુદા જુદા ટ્રસ્‍ટોને જમીન અપાવી છે જે ટ્રસ્‍ટોની સેવા ચાલુ છે. ઉપરાંત ૧૦૭ જેટલા મુસ્‍લિમ કબ્રસ્‍તાનોને નીમ કરાવ્‍યા છે. હાલ હઝરત ગેબનશા પીર દરગાહ ટ્રસ્‍ટમાં મહામંત્રી તરીકે સેવાઓ આપી રહ્યા છે. ઉપરાંત રાજકોટની સદરની જુમ્‍મા મસ્‍જીદ અને રીસાલા મસ્‍ીદ તથા હઝરત જમાલશા કમાલશા પીરની દરગાહ તથા અહેમદશા પીરની દરગાહ સદર ઈદગાહ તથા સદર કબ્રસ્‍તાનની સંસ્‍થા સદર આમ સુન્‍ની મુસ્‍લિમ વકફ કમીટીના નામે ટ્રસ્‍ટ છે. તેમાં ૧૮ વર્ષ સુધી મહામંત્રી પદે સેવા આપી છે. (મો.૮૧૪૦૨ ૮૪૮૯૪)

(12:12 pm IST)