Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ધુનડા સતપુરાણધામ આશ્રમના સંસ્થાપક પુ.જેન્તિરામબાપાનો આજે જન્મદિવસ પુ.બાપાની ઉપસ્થિતિમાં મુંબઇમાં સેવક સમુદાય દ્વારા ઉજવણી

 જુનાગઢ, તા.૧૪: જામજોધપુર નજીક આવેલ ધુનડા સતપુરાણધામ આશ્રમના સંસ્થાપક પૂ.જેન્તિરામ બાપાનો આજે ૬૨મો જન્મદિવસ છે.

ભજન સત્સંગના માધ્યમથી અનેક લોકોનું જીવન પરિવર્તન કરાવનાર દેશ વિદેશમાં અનુયાયી વર્ગ ધરાવતા પુ.જેન્તિરામબાપાના જન્મદિનની આજે મુંબઇ ઘાટકોપર ખાતે સવારથી ભવ્ય ઉજવણી થઇ રહી છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત અને મુંબઇના સતપરિવારના સત્સંગીઓ દ્વારા પુ.બાપાનું પુજન કરી ભાવવેદના કરવામાં આવી રહી છે. પુ.બાપા આજે ૬૧ વર્ષ પુર્ણ કરી ૬૨માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના મો.નં.૦૯૮૩૩૮૪૨૩૫૫ ઉપર સાધુ સંતો અને વિવિધક્ષેત્રના આગેવાનો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:49 pm IST)