Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

નિવૃત અધિક મુખ્ય સચિવ પી. પનીરવેલનો જન્મદિન

રાજકોટ : મુળ ગુજરાતના ન હોવા છતાં દૂધમાં સાકર ભળે તેમ વર્ષોથી ગુજરાતમાં ભળી ગયેલા નિવૃત અધિક મુખ્ય સચિવ શ્રી પી. પનીરવેલનો જન્મ ૧૯પ૩ ના વર્ષની ૧૭ સપ્ટેમ્બરે થયેલ. આજે ૬૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ હાલ આઇ. સી. ટી. ઇન્ફા. કોમ કંપની સાથે જોડાઇને ઇ ગવર્નન્સ ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે. પોરબંદરના સાંદીપની ગુરૂકુળમાં પણ માર્ગદર્શક તરીકે સેવા આપી રહ્યા છે.

શ્રી પી. પનીરવેલએ ગુજરાતમાં આઇ. એ. એસ. કેડર (૧૯૭૮) ના અધિકારી તરીકે અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર. તેમજ શિક્ષણ, મહેસુલ, શ્રમ રોજગાર વગેરે વિભાગોમાં મહત્વના સ્થાનો પર સેવા આપેલ. રાજય સરકારની સેવામાંથી પ વર્ષ પહેલા નિવૃત થયા બાદ વિવિધ સંસ્થાઓના નિવૃત થયા બાદ વિવિધ સંસ્થાઓના માધ્યમથી રચનાત્મક પ્રવૃતિ યથાવત રાખી છે.

મો. ૯૯૭૮૪ ૦૬૧૦૯ અમદાવાદ

(3:31 pm IST)