Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સન ફોર્જ ગ્રુપના સ્થાપક નાથાભાઇ કાલરીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ પાટીદાર અગ્રણી, ઉદ્યોગપતિ સેવા ક્ષેત્રે અગ્રેસર એવા શ્રી નાથાભાઇ મુળજીભાઇ કાલરીયા તેના પ્રભાવશાળી જીવનનાં ૭૯ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. આજે ર૭-૦ર-૧૯૪ર ના રોજ જન્મેલા મુળ ભાણવડના શિવા ગામના વતની અને રાજકોટને પોતાની કર્મભૂમી બનાવનાર નાથાભાઇ કાલરીયા એ પોતાના સેવાકીય- સામાજીક કાર્યો થકી પાટીદાર પરિવારોમાં લોકચાહના મેળવી તેઓ સન ફોર્જ ગ્રુપના સ્થાપક તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદના ટ્રસ્ટી, અને રાજકોટ પાંખના ચેરમેનની જવાબદારી વહન કરી રહયા છે. આ ઉપરાંત અમદાવાદના સરદારધામના ટ્રસ્ટી અને રાજકોટ યુનીટના માર્ગદર્શક, ઉમિયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્ટી, પટેલ સેવા સમાજના ટ્રસ્ટી, સમસ્ત પાટીદાર સમાજના ચેરમેન, માનવ કલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, તથા રાજકોટની જાણીતી સંસ્થા સરગમ કલબ સિનીયર સીટીઝન કલબના પ્રમુખ, સહિતની  સંસ્થાઓમાં સેવાકાર્યોની સુવાસ ફેલાવી છે. યશસ્વી જીવન ના ૪૯ માં વર્ષમાં પ્રવેશ કરનાર નાથાભાઇ કાલરીયા (મો. ૯૮ર૪ર ૧૩૫૩૩)ને શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(4:19 pm IST)