Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

અમરેલીના પૂર્વ ડી.ડી.ઓ., બોટાદના પૂર્વ કલેકટર

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના પી.એસ. સુજિતકુમારનો જન્મદિન

રાજકોટઃ. ભારત સરકારના વહાણવટા, ખાતર વગેરે વિભાગના રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાના અંગત સચિવ શ્રી સુજિતકુમારનો જન્મ ૨૬ ફેબ્રુઆરી ૧૯૮૪ના દિવસે થયેલ. આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

શ્રી સુજિતકુમાર અગાઉ બનાસકાંઠામાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર, થરાદમાં મદદનિશ કલેકટર, અમરેલીમાં જિલ્લા વિકાસ અધિકારી, બોટાદમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે. તેઓ મૂળ બિહારના વતની અને ૨૦૧૦ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન નં. ૦૧૧ - ૨૩૩૮૩૬૮૬, મો. ૯૯૧૩૫ ૭૪૪૪૨ - નવી દિલ્હી

(1:03 pm IST)