Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

કોંગ્રેસના પૂર્વ ડેલીગેટ શકિતસિંહ (બકુલભાઈ) જાડેજાનો જન્મદિન

રાજકોટઃ. પ્રદેશ કોંગ્રેસના એક સમયના ડેલીગેટ રીબડાવાળા શ્રી શકિતસિંહ ઈન્દ્રનીલસિંહ જાડેજા માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૧૯૬૮ના વર્ષની ૨૨ ફેબ્રુઆરીએ થયેલ. આજે ત્રેપનમાં વર્ષના દરવાજા ખટખટાવ્યા છે.

'બકુલભાઈ' તરીકે જાણીતા શ્રી શકિતસિંહ જાડેજા યુવક કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસમાં વિવિધ જવાબદારી સંભાળી ચૂકયા છે. સ્વ. મનોહરસિંહજી જાડેજા (દાદા)ના સંપર્કમાં રહીને તેમના માર્ગદર્શન હેઠળ રાજકીય અને સામાજિક ક્ષેત્રે વર્ષો સુધી યોગદાન આપેલ. તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. તેમના સબંધોનું વાવેતર સોળ આની ઉગ્યુ છે. જિલ્લા પંચાયત કચેરીની નિયમિત મુલાકાત લઈ રાજકીય પ્રવાહો તેમજ લોકપ્રશ્નોથી વાકેફ કરી જરૂરીયાતમંદોને ઉપયોગી થવા પ્રયત્નશીલ રહે છે.     મો. ૯૯૨૪૯ ૫૬૦૬૨ - રાજકોટ

(11:38 am IST)