Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ભાવનગરના સેવાભાવી ઇસ્માઇલભાઇ ટીનવાળાનો જન્મદિવસ

ભાવનગર,તા.૬: દાઉદી વ્હોરા સમાજના અગ્રણી સમાજસેવક ઇસ્માઇલભાઇ ઇબ્રાહીમભાઇ ટીનવાળા આજે પોતાની જીવનયાત્રાના ૬૪ વર્ષ પૂર્ણ કરી ૬૫માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.

તેઓ ૪૦ વર્ષથી નાતજાતની ઐસીતૈસી કરી માંદગીમાં અત્યાર સુધીમાં હજ્જારો દર્દીઓને દરેક પરોક્ષ પ્રત્યેક્ષ મદદરૂપ બની પુણ્યનું ભાથું બાંધ્યું છે. બુરહાની ગ્રુપનાં એક ખરાં અર્થમાં લીડર બની એમણે ૨૯ રકતદાન કેમ્પ કરી જેમાં અનેકાએક લોકોને રકતદાનમાં શામેલ કરી પોતે પણ ૭૬ વખત રકતદાન કરી રકતદાતાઓનો ઉત્સાહ મજબુત કર્યો છે. નામદાર ડો.સૈયદના સાહેબમાં અતૂટ વિશ્વાસ ધરાવતા ઇસ્માઇલભાઇએ શહેરમાં લોકડાઉન દરમિયાન અનેક રકતદાન કેમ્પોમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી એક કોરોના યોધ્ધા તરીકે સર ટી. હોસ્પિટલ સહિત અનેક સેવા સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન થયું છે.તેઓને શુભેચ્છકો મિત્રો દ્વારા જન્મદિનની શુભેચ્છા ઇસ્માઇલભાઇના મોબાઇલ ૯૩૨૮૦ ૩૫૨૫૨ ઉપર મળી રહી છે.

(11:41 am IST)