Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ક્રિષ્ના ગ્રૃપના ચેરમેન હરીભાઇ કણસાગરાનો જન્મદિનઃ ૬૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ ક્રિષ્ના પાર્ક ગ્રૃપનાં ભિષ્મ પિતામહ હરીભાઇ ગોવિંદભાઇ કણસાગરાનો આજે જન્મદિવસ છે. માણાવદર તાલુકાનાં વડા ગામે તા.૪-૭-૧૯૫૭માં સામાન્ય ખેડુત પરિવારમાં જન્મેલ હરિભાઇ કણસાગરા મેટ્રીક પાસ થઇ ૧૯૭૯માં રાજકોટ આવી નાની એવી લારીમાં રેસ્ટોરન્ટ શરૂ કરેલ, તેઓનાં અથાગ પરિશ્રમથી તેઓ ધીમી પણ મક્કમ રીતે પ્રગતિનાં ફળ સ્વરૂપે ક્રિષ્ના પાર્ક ગ્રૃપની સ્થાપના કરી.

હરીભાઇ ક્રિષ્ના ગ્રૃપ સિવાય પણ અનેકવિધ સામાજીક તેમજ સેવાકીય પ્રવૃતિમાં જોડાયેલ છે. જેઓ પટેલ પ્રગતિ મંડળનાં ટ્રસ્ટી તેમજ કણસાગરા ચેરી.ટ્રસ્ટનાં પ્રમુખપદ પણ શોભાવે છે.

તેઓએ સમગ્ર ગુજરાતને સૌથી મોટો ક્રિષ્ના વોટર પાર્કની ભેટ પણ આપેલ, રાજકોટની સ્વાદ પ્રિય જનતાને હોટલ ક્રિષ્ના પાર્ક-રાજકોટ, હર્બ એલીમેન્ટને નેચરસ્યેકીકલ્સ પ્રા.લી.ક્રિષ્ના પાર્ક રીસોર્ટસ- દીવનાં ચેરમેન તરીકે કાર્યરત છે. ટુંક સમયમાં જ સોમનાથ-વેરાવળ ખાતે આધુનિક હોટલનું નિર્માણ પણ હરીભાઇની આગેવાની હેઠળ શરૂ કરવામાં આવેલ છે.

તેઓના નેજા હેઠળ નવરાત્રી દરમ્યાન ગરબી મંડળની બાળાઓ માટે જમણવાર તથા ક્રિષ્ના વોટર પાર્કની નિઃશુલ્ક એન્ટ્રી ટીકીટ પણ આપતા રહ્યાં છે, અનાથાશ્રમનાં બાળકોને પણ દર વર્ષે ફ્રી વોટરપાર્કની ટીકીટો આપવામાં આવે છે, નવરાત્રીમાં છેલ્લા ૧૮ વર્ષથી નહિં નફા-નહિં નુકશાન સાથે સ્નેહી-મીત્રો સગાસંબંધીઓ માટે ક્રિષ્ના નટખટનું ટોકન ચાર્જે નવરાત્રી મહોત્સવનું પણ આયોજન કરતા આવ્યા છે.

આજરોજ જન્મદિવસ નિમિતે તેઓને ભાઇ સુરેશભાઇ તેમજ સંજય, જય, પ્રયાણ તથા ક્રિષ્નાપાર્ક સ્ટાફ પરીવાર તથા કણસાગરા પરીવારો શુભેચ્છા પાઠવી છે. ગૌ.૧૦૮ શ્રી પરાગકુમારજી મહોદયએ આશિર્વાદ પાઠવેલ છે.

તેઓ જીવનનાં ૬૨ વર્ષ પૂર્ણ કરી ૬૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. ૯૮૨૪૨ ૮૪૧૦૫ ઉપર ચોમેરથી જન્મદિનની શુભેચ્છાની અમી વર્ષા થઇ રહી છે.

(3:34 pm IST)