Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

યુવા એડવોકેટ જયભારત ધામેચાનો આજે જન્મદિવસઃ ૨૬માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ રઘુવંશી અગ્રણી અને રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ ઉપપ્રમુખ તેમજ ગૌરવ કન્સટ્રકશન એન્ડ ડેવલોપર્સના પ્રોપરાઇટર રમેશભાઈ ધામેચાના પુત્ર જયભારત ધામેચાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૨૫ વર્ષ પૂર્ણ કરી ૨૬ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. જયભારત ધામેચા રાજકોટ લોહાણા મહાજનની મંદિર સમિતિ ના પણ સભ્ય છે. સામાજિક પ્રવૃત્તિઓ અને સમાજ સેવામાં અગ્રેસર રહે છે. સતત પાંચ વર્ષથી ઇન્દિરા સર્કલ ખાતે જલારામ જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન તેઓ કરી રહ્યા છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પત્ર દ્વારા જયભારત ધામેચાને લેખિત શુભેચ્છા પાઠવી છે. આજના દિવસે તેમના સગા - સંબંધી,  મિત્રો, વેપારીઓ, રાજકીય અને જ્ઞાતિ આગેવાનો તેમજ સ્નેહીજનો અને શુભેચ્છકો તરફથી જયભારત ધામેચા (મો.૯૦૩૩૭ ૧૧૧૧૮) પર શુભેચ્છા નો ધોધ વરસી રહ્યો છે.

(2:52 pm IST)