Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

સદર ઉપાશ્રયનાં કમિટિ મેમ્બર ધર્માગ શાહનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ર૧ : આજરોજ ધર્માગ મધુકાંતભાઇ શાહનો જન્મ દિવસ છે. તેઓ એલ.આઇ.સી.ના એજન્ટ છે. હાલ તેઓ એમ.ડી.આર.ટી.એવોર્ડથી સન્માનીત થયેલા છે. સદર ઉપાશ્રયમાં યુવા કમિટિ મેમ્બર છે. રાજકોટ સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળના સભ્ય, પાંજરાપોળ, એનીમલ હેલ્પલાઇન-કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, જીવાદયા ગ્રુપ-રાજકોટ, શ્રી જનસેવા ટ્રસ્ટમાં પણ પોતાની સેવાઓ આપેલ છે.ધર્માગભાઇને એક દીકરી અને એક દીકરો છે તેમને પણ તેઓ સામાયીક તથા પ્રતિક્રમણ શીખડાવી રહ્યા છે. તેમના પિતાશ્રી મધુકાંતભાઇ શાહ સદર ઉપાશ્રયના ટ્રસ્ટી છે તેમના માર્ગદર્શન હેઠળ તેઓ દ્વારા સેવાકાર્યો, ધાર્મિક કાર્યો, જીવદયાના કાર્યો તથા પરોપકારના કાર્યો વધારવામાં આવી રહ્યા છે.  આ શુભદીને અગ્રણીઓ તરફથી ધર્માગ મધુકાંતભાઇ શાહ (મો. ૯૪ર૮ર ૯૬૯૧૯) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(2:54 pm IST)