Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

હૈયેથી મુશળધાર વરસતુ હેત મુબારક, જયદીપ દ્વિવેદીને જન્મદિન મુબારક

રાજકોટઃ ગુજરાતના વહીવટી તંત્રની સચિવાલય કેડરના ગગનમાં સિતારાની જેમ ચમકતા સંયુકત સચિવ શ્રી જયદીપ બી.દ્વિવેદી માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમણે આજે ગૌરવવંતા જીવનના પંચાવનમાં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. (જન્મ તા.૧૫ જુલાઇ ૧૯૬૫)

શ્રી જયદીપ દ્વિવેદી ચૂંટણી પંચમાં સંયુકત મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમણે એમ.એ., ડીપ્લોમાં ઇન સિવીલ એન્જીનિયરીંગની પદવી મેળવી છે. ધારાસભા અને લોકસભાની ચૂંટણીઓમાં પોતાનું કૌશલ્ય સિધ્ધ કર્યુ છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય ચૂંટણી પંચના સમગ્ર ગુજરાતના નોડલ ઓફીસર તરીકે પરાસ્વી ફરજ બજાવેલ. ઇ.વી.એમ., વીવીપેટ અને વહીવટી બાબતોમાં તેમનો ઉંડો અભ્યાસ છે. તેઓ આ અગાઉ સાયન્સ અને ટેકનોલોજી વિભાગમાં ફરજ બજાવતા હતા. ભાવ અને પ્રભાવથી ભરપુર વ્યકિતત્વ તેમની આગવી ઓળખ છે. ધન્ય આજની ઘડી રવિપામણી, જે.બી.દ્વિવેદીની વર્ષગાંઠની વધામણી...

ફોન.નં.૦૭૯-૨૩૨૫૪૬૦૯

મો.૯૯૭૮૪ ૦૮૨૪૨-ગાંધીનગર

(10:35 am IST)