Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

રાજકોટ - સુરેન્દ્રનગરના ભુતપુર્વ કલેકટર કે. શ્રીનિવાસનો જન્મદિન

રાજકોટ તા. ૧૨: ભારત સરકારમાં ડેપ્યુટેશન પર પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગમાં અધિક સચિવ તરિકે ફરજ બજાવતા મૂળ આંધ્રના વતની ગુજરાત કેડરના આઇ.એ.એસ(૧૯૮૯) કક્ષાના અધિકારી શ્રી કે.શ્રીનિવાસનો જન્મ ૧૨ જુલાઇ ૧૯૬૭ ના દિવસે થયેલ. આજે ૫૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર , નર્મદા નિગમમાં વહિવટી સંચાલક , સામાન્ય વહિવટ વિભાગમાં અગ્રસચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. કારકીર્દીના પ્રારંભેપોરબંદરમાં ફરજ બજાવી હતી. મો. ૯૯૭૮૪ ૦૮૦૮૧ નવી દિલ્હી.

(11:22 am IST)