Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

જીવદયા માટે જીવન ખર્ચી નાખનાર કિશોરભાઇ કોરડીયાનો જન્મદિવસ

રાજકોટ તા ૦૧:  પાંજરાપોળ પ્રત્યે કરૂણાભાવ, વાત્સલ્યતા, સાક્ષાત્કાર કરાવનાર જીવદયા પ્રેમી કિશોરભાઇ કોરડીયાનો આજે જન્મદિન છે. અબોલ જિવો માટ કેવુે ''સાતાકારી'' નિવાસ સ્થાન હોવું જોઇએ તે સાક્ષાત્કાર કરવા સ્વખર્ચે લાખો રૂપીયા વાપરી નાખનાર કિશોરભાઇ કોરડીયા અતિલાગણીશીલ જીવ છે અને રાષ્ટ્રીય સંત શિરોમણી ''પૂ. ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ'' ના હ્રદયમાં અનેરૂ સ્થાન ધરાવે છે. રાજકોટની વિવિધ સમાજ એવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આજે તેમના જન્મદિને ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

 તેમના મો. નં. ૯૪૨૮૨ ૨૮૯૧૦/ ૯૮૨૫૦ ૭૪૭૭૧ છે

(11:47 am IST)