Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગૌસેવા આયોગના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાનો જન્મદિન

રાજકોટ તા. ૩૦ : રાજય સરકારના ગૌસેવા આયોગના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાનો આજે જન્મ દિવસ છે. વ્યકિતગત જીવનમાં માનવ સેવાને પ્રાધાન્ય આપી ૧૨૫ વાર સ્વયં રકતદાન કરી યુવા વર્ગને પ્રેરક ઉદાહરણ તેઓએ આપેલ છે. તબીબી વ્યવસાયની સાથે સમાજ સેવા ડો. કથીરીયાના જીવનનું અંગ બની રહ્યુ છે. કિશોરવયથી આર.એસ.એસ.ના સંસ્કાર સિંચન અને અનેક સંતો મહાનુભાવોના આશીર્વાદથી રાજનીતિના જનકલ્યાણના શ્રેષ્ઠ માધ્યમ તરીકે ઉપયોગ કરનાર ડો. વલ્લભભાઇએ 'ચેરીટી બીગીન્સ એટ હોમ' ના સિંધ્ધાંતોને જીવન સાર્થક કરી બતાવેલ છે. જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં સામાન્ય ખેડુત પરિવારમાં જન્મેલા ડો. કથીરીયા સંઘર્ષ કરી સ્વબળ અને બુધ્ધિ પ્રતિભાના આધારે પ્રતિષ્ઠાના શિખરે પહોંચ્યા છે. રાજકોટ લોકસભાની બેઠક પરથી ચાર ચાર વખત ચુંટાઇને તેમની લોકપ્રિયતા અકબંધ પુરવાર કરી ચુકયા છે. ૨૦ થી વધારે દેશોનો પ્રવાસ કરી ભારતીય સંસ્કૃતિ અને વિચારધારાનો અવાજ સમગ્ર વિશ્વમાં પહોંચાડવામાં ડો. કથીરીયાનો અમુલ્ય ફાળો રહ્યો છે. આજે જન્મ દિવસે તેઓને ઠેરઠેેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૦૯૯૩ ૭૭૫૭૭ છે. (૧૬.૧)

 

(11:45 am IST)