Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

પ્રગતિના પ્રેરક શિક્ષણવિદ્ જયંતિભાઇ જાનીનો જન્મદિન

રાજકોટ : પ્રકાશ, પ્રગતિ અને પરમાર્થના પ્રેરક જાણીતા શિક્ષણવિદ શ્રી જયંતીભાઇ એ.જાની માટે આજનો દિવસ વિશેષ યાદગાર છે. આજે તેમણે ભાવ અને પ્રભાવથી પ્રકાશિત જીવનના ૭૨માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે. (જન્મ તા. ૪ ડીસેમ્બર ૧૯૪૯)

શ્રી જયંતીભાઇ જાની સામા કાંઠા વિસ્તારની નામાંકિત શારદામણી વિદ્યાલયમાં વર્ષો સુધી આચાર્ય તરીકે સેવા આપી નિવૃત થયેલા. અત્યારે નિવૃત છતાં શિક્ષણ ક્ષેત્રે સ્ફૂર્તિથી પ્રવૃત છે. તેઓ રોટલો રળવાની સાથે કોળિયાને મીઠો બનાવવાનું શિખવતા શિક્ષણના હિતાયતી છે. બે કિનારા નહીં મળે તેમ માનીને બેસી રહેવાના બદલે બંને વચ્ચે સેતુ બનાવવામાં માનનારા વ્યકિત છે. તેમણે શિક્ષણ ક્ષેત્રની કળીઓમાંથી ખીલવેલા અનેક ફૂલો આજે સમાજમાં મહેકી રહ્યા છે. આજે તેમના પર જન્મદિનની શુભેચ્છા મુશળધાર વરસી રહી છે.

મો. ૯૪૨૮૪ ૬૨૦૬૩. રાજકોટ

(10:25 am IST)