Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

એડવોકેટ એન્ડ ઇન્વેસ્ટીગેટર ફરીદમદની પરાસરાનો આજે જન્મદિન

રાજકોટ તા. ર :.. વાંકાનેરના અશરફનગર (સિંધાવદર) ગામના રહેવાસી અને હાલ રાજકોટ રહીને સમગ્ર સૌરાષ્ટ્ર -કચ્છમાં વીમા કલેઇમ કેસ ઇન્વેસટીગેટર તથા અકસ્માત વીમા કલેઇમ કેસનો વ્યવસાય કરતા એડવોકેટ એન્ડ ઇન્વેસ્ટીગેટર ફરીદમદની એ. પરાસરાનો આજે જન્મદિવસ છે.

જીવનના ર૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી રફીક એ. કંડીયા સાથે વીમા કલેઇમ કેસ ઇન્વેટીગેટર તરીકે જુનીયર શીપ કરી રહ્યા છે. હાલ તેઓ મોટા ગજાની ધી ન્યુ ઇન્ડીયા એસ્યોરન્સ જનરલ વીમા કંપની તથા યુનાઇટેડ ઇન્ડીયા જનરલ વીમા કંપનીમાં પેનલ વીમા કલેઇમ કેસ ઇન્વેસ્ટીગેટર તરીકે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં જી. પી. એ., પી. એ., ડબલ્યુ. સી., એમએસીટી,  ફાયર, મેરીન, થીફટ કેસની સુસંગત પ્રેકટીસ કરી રહ્યા છે. આજરોજ જન્મ દિવસે મો. ૯૬૮૭ર ૩૭૯૯૧ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:23 am IST)