Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અચ્છે લોગ સદા સાથ રહેતે હૈ, હર પલ, હર જગહ, આપ ઉન્હી મેં સે એક હૈ... હેપ્પી બર્થ ડે

ઘસાઈને નહિં , ઘડાઈને સફળ બનેલા ધારાશાસ્ત્રી અનિલ દેસાઈનો જન્મદિન

રાજકોટ તા ૨૧ : રાજકોટ બાર એસો. ના પૂર્વ પ્રમુખ અને પૂર્વ જીલ્લા સરકારી વકીલ તરીકે યશસ્વી કામગીરી કરનાર પ્રખર ધારાશાસ્ત્રી શ્રી અનિલભાઇ દેસાઇનો આજે જન્મ દિવસ છે તેઓ યશસ્વી જીવનના ૫૯ વર્ષ પુરા કરીને ૬૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.

રાજકોટના સીનીયર એડવોકેટ અને પૂર્વ જીલ્લા સરકારી વકીલ શ્રી મનુભાઇ શાહ સાથે તેઓએ પ્રથમ જુનીયર તરીકે વકીલાત ચાલુ કર્યા બાદ આપબળે એડવોકેટ અનિલભાઇ દેસાઇ આગળ આવેલા અને ઘણા નાના મોટા અસંખ્ય કેસોમાં મહત્વના ચુકાદાઓ મેળવીને વકીલાત ક્ષેત્રે સમગ્ર સોંરાષ્ટ્રભરમાં પોતાનું નામ રોશન કર્યુ છે.

અગાઉ તેઓ જીલ્લા સરકારી વકીલ તરીકે પણ કામ કરી ચુકયા છે. ઘણાં મહત્વના કેસોમાં તેઓ સ્પે. પી.પી. તરીકે પણ નિયુકત થયાં હતા.

ઉપરાંત સોૈરાષ્ટ્ર, રાજકોટના ચકચારી કેસોમાં પણ તેઓ રોકાયા હતા. આજે તેઓના જન્મદિવસ નિમિતે મિત્રો, સગાસબંધીઓ, સ્નેહીઓ, વકીલો દ્વારા તેઓને મો.નં. ૯૮૨૪૦ ૪૩૭૮૯ ઉપર જન્મ દિવસે શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(12:51 pm IST)