Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વોર્ડ નં.૨ના યુવા ભાજપના પૂર્વ ઉપાધ્‍યક્ષ અને એડવોકેટ કરણસિંહ પરમારનો જન્‍મદિન

રાજકોટઃ શહેરના વોર્ડનં.૨ના યુવા ભાજપના પૂર્વ ઉપાધ્‍યક્ષ અને રેવન્‍યુ પ્રેકટીશ્‍ન યુવા એડવોકેટ કરણસિંહ પરમાર આજે પોતાના જીવનના ૩૦ વર્ષ પૂર્ણ કરી ૩૧માં વર્ષમાં પ્રવેશ કરે છે. તેઓ જુના જનસંઘી સ્‍વ.બચુભાઈ પ્રસેવાળાના પૌત્ર અને શહેર ભાજપ મિડીયા સેલના પૂર્વ ઈન્‍ચાર્જ સુરેશભાઈ પરમારના પુત્ર છે. યુવા મોરચાના ઉપાધ્‍યક્ષ તરીકે યશસ્‍વી કામગીરી કરેલ છે. કરણસિંહે બી.કોમ., એલએલબી જેવી ઉચ્‍ચ ડીગ્રી હાંસલ કરીને ગુજરાત બારકાઉન્‍સીલના મેમ્‍બર બનીને એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ, ભાસ્‍કરભાઈ જસાણી અને જયેશભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ પ્રેકટીશ કરેલ છે. તેઓ રાજકોટ નાગરીક સહકારી બેંક લી. તેમજ ડિસ્‍ટ્રીકટ કો.એપ.બેંક અને નવકાર ક્રેડીટ કો.ઓપ. સોસા.લી.માં માન્‍ય પેનલ એડવોકેટ તરીકે તેમજ સર્જન ફાઉન્‍ડેશન અને ‘‘અહેવાલ'' સાપ્‍તાહિકના લીગલ એડાવાઈઝર તરીકે સેવા આપી રહ્યા છે. તેમના જન્‍મદિન પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્‍દ્રસિંહ ઠાકુર, જીવન કોમ, બેંકના એમ.ડી.નરેન્‍દ્રસિંહ જાડેજા, આર.ડી.સી.બેંકના ડીરેકટર અરવિંદભાઈ તાળા, કાળુમામા, જીતુભાઈ ભટ્ટ, જગદેવસિંહ જાડેજા, લાલભાઈ પોપટ, મહાવિરસિંહ જાડેજા, સુરેશભાઈ પરમાર, શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત, કમલેશભાઈ રાઠોડ, ગુણવંતભાઈ ભટ્ટ સહિત અનેક મિત્રો શુભેચ્‍છકોએ (મો.૯૭૨૫૭ ૯૦૦૦૦) જન્‍મદિને શુભેચ્‍છા પાઠવેલ છે.

(4:18 pm IST)