Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

પ્રજા કલ્યાણલક્ષી આયોજનોને સુપેરે પાર પાડનાર

ગીર-સોમનાથ જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલનો જન્મદિવસ

 (મીનાક્ષી - ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ :.. ભાવનગર વતની સુરેન્દ્રનગર - રાજકોટ-નવસારી-આણંદનો બહોળો અનુભવ એવા ગીર-સોમનાથ જીલ્લાના કલેકટર આર. જી. ગોહીલ એટલે કે રાજદેવસિંહ ગોહીલનો આજે જન્મદિવસ છે. ર ડીસેમ્બર ૧૯૬૪ ના રોજ ભાવનગર ખાતે જન્મેલા. તેઓ વર્ષ ર૦૦૭ ના આઇ. એ. એસ. નોમીનેટેડ છે. વર્ષ ૧૯૯૦ માં સુરેન્દ્રનગર ખાતે નાયબ કલેકટર ત્યારબાદ ગાંધીનગર શહેરી વિકાસ અને ફરી આણંદ નાયબ કલેકટર ત્યાર પછી નવસારી અને મહિસાગર જીલ્લા વિકાસ અધિકારી, રાજકોટ સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર તથા તત્કાલીન યુવા સાંસ્કૃતિક પ્રધાન આઇ. કે. જાડેજાના અંગત સચિવ તરીકે રહ્યા બાદ આણંદ જીલ્લા કલેકટરથી ગીર સોમનાથ જીલ્લા કલેકટર પદે સેવા આપી રહ્યા છે.  તેમના જન્મદિને ઠેરઠેરથી અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે. મો. નં. ૯૯૭૮૪ ૦પ૯૩૪ છે.

 

(10:22 am IST)