Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રાજકીય કટોકટીમાં જનાધારના ઓકિસજનથી અડીખમ

સરધારથી રાજકોટના વણથંભ્યા વિજયયાત્રી ચેતન પાણનો જન્મદિન

રાજકોટ : તિર્થભૂમિ સરધારના પ્રતિષ્ઠીત પાટીદાર શ્રેષ્ઠી ગુણવંતભાઇ અને જયાબેનના પૂત્રરત્ન ચેતન પાણ આજે યશસ્વી જીવનના ૩૮માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. (જન્મ તા. ર૩ એપ્રિલ ૧૯૮૪) હાલ કોરોના પીડિતોની સેવામાં વ્યસ્ત છે.

 

રાજકોટ તાલુકા પંચાયતમાં સભ્ય પદે સતત ત્રીજી વખત ચૂંટાઇને હમણા જ કારોબારી અધ્યક્ષ બનેલા ચેતન પાણ સહકાર ગ્રામ વિકાસ યુવક મંડળ સહિત વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જીવનસંગીની શ્રીમતી અસ્મિતાબેન અને લાડકવાયા ચિ. તિર્થએ તેમના જીવનમાં ખુશીની વૃધ્ધી કરી છે. તેમણે 'કમળ'  માં સુગંધ અને કાંટા બેયને પારખી લીધા છે. રાજકારણમાં 'સ્પીડબ્રેકર્સ' મુજબ ગિયર પાડીને પોતાની ગાડીની ગતિ સાથે પ્રગતિ જાળવી રાખી છે. પાણ ચડાવે 'બાણ' 'વિજય' એ જ કલ્યાણ...

મો. ૯૪ર૬૪ ૩૦૩૪પ અને મો. ૯૪ર૬૯ ૩૦૩૪પ સરધાર

(11:02 am IST)