Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ગોંડલના સામાજીક કાર્યકર રૂષભરાજ પરમારનો જન્મ દિવસ

ગોંડલ તા. ર૬ :.. રજપુત સમાજનાં અગ્રણી તેમજ એડવોકેટ સ્વ. વિક્રમભાઇ પરમારનાં પુત્ર ઋષભરાજ પરમારનો આજે ર૩મો જન્મ દિવસ છે.

તેઓ નાનપણથી જ દયાનંદ સરસ્વતીની વિચારધારા સાથે જોડાઇને આર્ય સમાજની દરેક પ્રવૃતિમાં સક્રિય રીતે કામગીરી કરી રહેલ છે. તેમજ ગોંડલ આર્ય સમાજના મહામંત્રીનો હોદો ધરાવે છે. જેમા સોળ સંસ્કાર વિધીઓ જેવી કે, લગ્ન, યજ્ઞ, યજ્ઞોપવિત, તેમજ અંતયષ્ટિ જેવી વિધીઓ કરી કરાવી દયાનંદ સરસ્વતીજીની વિચાર સરણી ગોંડલ તેમજ તાલુકાનાં વિસ્તારમાં આર્ય સમાજ જીવંત રાખેલ છે. ત્યારે વિશાળ મિત્ર સમુદાય ધરાવતા ઋષભરાજભાઇને તેઓના મો. ૯૮૭૯૬ ૪૩ર૬૪ જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ મળી રહેલ છે.

(11:50 am IST)