Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

કાલે વાંકાનેરના પત્રકાર-સામાજીક અગ્રણી મહમદભાઇ રાઠોડનો જન્મદિન

વાંકાનેર તા. ર૩ : વાંકાનેરના સીનીયર પત્રકાર અને સામાજિક આગેવાન મહંમદભાઇ આર. રાઠોડ આવતી કાલે રવિવારે ૭ર વર્ષ પુરા કરી ૭૩ માં વર્ષમાં પ્રવેશ કરશે.

તેઓ વાંકાનેર શાહબાવા ટ્રસ્ટના ડાયરેકટર, મુસ્લિમ સંસ્થાઓ જેવી કે, આમ મુસ્લિમ સમાજના મહામંત્રી કસ્બા જુમાત કબ્રસ્તાનના પ્રમુખ અને ઘાંચી મુસ્લિમ સમાજના આગેવાન છે અને અનેક સામાજિક તથા રાજકીય સંસ્થાઓ સાથે જોડાયેલા મહંમદભાઇ રાઠોડ 'અકિલા' દૈનિક રાજકોટના પાયાના પથ્થર સમાન રહ્યા છે. જયારે 'અકિલા' અખબાર માત્ર ૧૦ પૈસામાં મળતુ ત્યારથી તેઓ જોડાયેલા છે. અને હાલ આ વયે પણ પુરી ઉર્જા અને ખંતથી પત્રકારિત્વ નીભાવી રહ્યા છે. તેઓના ૭૩ માં જન્મ દિવસે ઠેર ઠેરથી એડવાન્સ અભિનંદનની વર્ષા થઇ રહી છે. તેઓના મો. નં. ૯રર૮પ ૬ર૪ર૬ છે. તેઓની જન્મ તા. ર૪-૧૧-૧૯૪૭ છે.

(11:35 am IST)