Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સાવરકુંડલાના રઘુવંશી અગ્રણી રાજુભાઇ શિંગાળાનો કાલે જન્મદિન

સાવરકુંડલા તા. ર૪: રઘુવંશી અગ્રણી રાજુભાઇ શિંગાળાનો આવતી કાલ તા. ર૪-૧૧ને રવિવારનાં રોજ જન્મ દિવસ છે. મિલનસાર સ્વભાવ ધરાવતા શ્રી શિંગાળા પોતાના યશસ્વી જીવનનાં પ૮ વર્ષ પુરા કરી પ૯ માં વર્ષમાં પ્રવેશ કરશે. રાજુભાઇ શિંગાળા અમરેલી જીલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સમાં મંત્રી તરીકે સફળ સેવા આપી રહ્યા છે, જયારે સને ર૦૦૭ થી ર૦૧ર દરમ્યાન સાવરકુંડલા નગરપાલીકાના વોર્ડ નં. ૬ માં સહુથી વધારે મતથી ચૂંટાઇ આવી નગરપાલીકાનાં સદસ્ય તરીકે અને શિક્ષણ સમિતિના સભ્ય તરીકે ખુબજ સારી કામગીરી કરેલ હોય શહેર ઉપરાંત જીલ્લાનાં સામાજીક-રાજકિય કાર્યકર સહિત બહોળો મિત્ર વર્ગ ધરાવતા હોય તેમનાં મો.નં. ૯૪ર૯૪ ૪૪પ૦૦ ઉપર શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.

(11:26 am IST)